Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: બુમરાહ કેપ્ટનશીપ ડિઝર્વ કરે છે- અશ્વિન: કહ્યું- કોહલી ટેસ્ટનો બ્રાન્ડ એમ્બેસેડર, તેની પાસે ક્રિકેટના 2 વર્ષ બાકી હતા
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » બુમરાહ કેપ્ટનશીપ ડિઝર્વ કરે છે- અશ્વિન: કહ્યું- કોહલી ટેસ્ટનો બ્રાન્ડ એમ્બેસેડર, તેની પાસે ક્રિકેટના 2 વર્ષ બાકી હતા

Sports

બુમરાહ કેપ્ટનશીપ ડિઝર્વ કરે છે- અશ્વિન: કહ્યું- કોહલી ટેસ્ટનો બ્રાન્ડ એમ્બેસેડર, તેની પાસે ક્રિકેટના 2 વર્ષ બાકી હતા

THE PRIME NEWS NETWORK
Last updated: May 13, 2025 3:54 pm
THE PRIME NEWS NETWORK
Share
બુમરાહ કેપ્ટનશીપ ડિઝર્વ કરે છે- અશ્વિન:  કહ્યું- કોહલી ટેસ્ટનો બ્રાન્ડ એમ્બેસેડર, તેની પાસે ક્રિકેટના 2 વર્ષ બાકી હતા
SHARE

સ્પોર્ટ્સ ડેસ્ક14 કલાક પેહલા

  • કૉપી લિંક
જસપ્રીત બુમરાહ (જમણે)એ વિરાટ કોહલી (ડાબે)ની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ ડેબ્યૂ કર્યું. - Divya Bhaskar

જસપ્રીત બુમરાહ (જમણે)એ વિરાટ કોહલી (ડાબે)ની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ ડેબ્યૂ કર્યું.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઑફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને કહ્યું કે જસપ્રીત બુમરાહ ભારતના ટેસ્ટ કેપ્ટન બનવાને લાયક છે. તેણે એમ પણ કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિથી ટેસ્ટ ટીમમાં નેતૃત્વનો અભાવ સર્જાશે. આ ભરવું ખૂબ જ મુશ્કેલ હશે.

અશ્વિન માને છે કે કોહલીની નિવૃત્તિ સાથે, ટેસ્ટ ક્રિકેટે તેનો બ્રાન્ડ એમ્બેસેડર ગુમાવ્યો છે. તેણે ઉતાવળમાં નિવૃત્તિ લીધી, કારણ કે તેનામાં હજુ 1-2 વર્ષનું ક્રિકેટ બાકી હતું.

બુમરાહ કેપ્ટનશીપ ડિઝર્વ કરે છે અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ ‘એશ કી બાત’ માં કહ્યું, ‘હવે એક સંપૂર્ણપણે યુવા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જેમાં બુમરાહને હવે સિનિયર ખેલાડી ગણવામાં આવશે. મને લાગે છે કે તેને કેપ્ટનશીપ મળવી જોઈએ, તે કેપ્ટન બનવાને લાયક છે. જોકે, પસંદગીકારો તેની ફિટનેસ જોયા પછી જ નિર્ણય લેશે.’

અશ્વિને કહ્યું કે જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં કેપ્ટન બનવાને લાયક છે.

અશ્વિને કહ્યું કે જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં કેપ્ટન બનવાને લાયક છે.

અનુભવ ખરીદી શકાતો નથી ​​​​​​​અશ્વિને વધુમાં કહ્યું, ‘રોહિત અને વિરાટની નિવૃત્તિ ટેસ્ટ ટીમમાં નેતૃત્વનો મોટો અવકાશ પેદા કરશે. તમે અનુભવ ખરીદી શકતા નથી, ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવા મુશ્કેલ પ્રવાસોમાં, અનુભવની જરૂર પડશે. આપણને વિરાટની ઉર્જા અને રોહિતની ધીરજની ખોટ સાલશે.

મને લાગે છે કે કોહલીમાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 1-2 વર્ષ બાકી હતા. મને લાગ્યું હતું કે રોહિત ચોક્કસપણે ઇંગ્લેન્ડ સિરીઝ સુધી રમશે, કારણ કે જો તે છોડી દેશે તો ટીમની કેપ્ટનશીપમાં મોટો તફાવત રહેશે.’

અશ્વિને કહ્યું કે રોહિત અને વિરાટની નિવૃત્તિથી નેતૃત્વમાં ખોટ ઊભી થશે.

અશ્વિને કહ્યું કે રોહિત અને વિરાટની નિવૃત્તિથી નેતૃત્વમાં ખોટ ઊભી થશે.

ભારત છેલ્લા 10-12 વર્ષથી ટેસ્ટમાં શ્રેષ્ઠ ​​​​​​​અશ્વિને આગળ કહ્યું, ‘છેલ્લા 10-12 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ફોર્મેટ શ્રેષ્ઠ રહ્યું છે. નેતૃત્વને ધ્યાનમાં રાખીને, રોહિતને ઇંગ્લેન્ડ શ્રેણી પણ રમાવાની જરૂર હતી. જો તેણે પ્રદર્શન કર્યું હોત, તો તે રમવાનું ચાલુ રાખી શક્યો હોત.

મેં રોહિતનો શ્રેષ્ઠ દેખાવ ઇંગ્લેન્ડમાં જ જોયો, જ્યારે તેણે 2021માં સદી ફટકારી અને ટીમને જીત તરફ દોરી ગયો. રાહુલ અને તેની ઓપનિંગે હંમેશા અમને એક ડગલું આગળ રાખ્યા. રોહિતનો શ્રેષ્ઠ દેખાવ 2019 થી 2023 સુધીના ટેસ્ટમાં જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન, તેણે ઓસ્ટ્રેલિયામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું.

કોહલી ટેસ્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે ​​​​​​​અશ્વિને આગળ કહ્યું, ‘કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં જોવું એ બોક્સ ઓફિસથી ઓછું નથી, તે ઘણી રીતે ટેસ્ટ ક્રિકેટનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. તેની ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ ટીમને જીતવામાં મદદ ન કરી હોય, પરંતુ તેમણે પોતાનું મહત્વ દર્શાવ્યું. એડિલેડમાં 2 સદી ફટકારવા છતાં ટીમ જીતી શકી નહીં તે શરમજનક વાત હતી. તેણે જોહાનિસબર્ગમાં સદી ફટકારી હતી અને એડિલેડમાં ભારત 36 રનમાં ઓલઆઉટ થયું ત્યારે પહેલી ઇનિંગમાં પણ 74 રન બનાવ્યા હતા. આ બધી તેની ઐતિહાસિક ઇનિંગ્સ હતી.

મને ખબર નથી કે બંને શા માટે નિવૃત્ત થયો. હવે ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ સમય આવવાનો છે. ગૌતમ ગંભીર યુગ હવે ખરેખર શરૂ થઈ રહ્યો છે.’

અશ્વિને કહ્યું કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટનો બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો છે.

અશ્વિને કહ્યું કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટનો બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Operation Sindoor: BJP's Public Campaign Shifts as Congress Fades from Focus Operation Sindoor: BJP’s Public Campaign Shifts as Congress Fades from Focus
Next Article Sitaare Zameen Parનું ટ્રેલર રિલીઝ, આમિર ખાને ફરી જીત્યું ફેન્સનું દિલ Sitaare Zameen Parનું ટ્રેલર રિલીઝ, આમિર ખાને ફરી જીત્યું ફેન્સનું દિલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

પ્રો-કબડ્ડી લીગ-2025 માટે ગુજરાત જાયન્ટ્સે નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી; જયવીર શર્મા હેડકોચ, વરિન્દર સિંઘ આસિસ્ટન્ટ
Sports

પ્રો-કબડ્ડી લીગ-2025 માટે ગુજરાત જાયન્ટ્સે નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી; જયવીર શર્મા હેડકોચ, વરિન્દર સિંઘ આસિસ્ટન્ટ

ગુજરાત જાયન્ટ્સના નવા હેડ કોચ જયવીર શર્મા અને આશિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુની નિમણૂંક પ્રો-કબડ્ડી લીગ 2025 માટેની હરાજીનો સમય…

2 Min Read
મોદી સ્ટેડિયમને ધમકી આપનાર પાકિસ્તાનનો દુનિયા સામે ભવાડો: રિપોર્ટરે રાવલપિંડી સ્ટેડિયમ બહારથી જ પોલ ખોલી દીધી; ગંભીરે કયા ક્રિકેટરને 'ટેક્સચોર' ગણાવ્યા?
Sports

મોદી સ્ટેડિયમને ધમકી આપનાર પાકિસ્તાનનો દુનિયા સામે ભવાડો: રિપોર્ટરે રાવલપિંડી સ્ટેડિયમ બહારથી જ પોલ ખોલી દીધી; ગંભીરે કયા ક્રિકેટરને ‘ટેક્સચોર’ ગણાવ્યા?

15 કલાક પેહલાકૉપી લિંકનરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર પાકિસ્તાનની આબરૂ દુનિયા સામે ધૂળધાણી થઈ ગઈ છે. રાવલપિંડી…

1 Min Read
પાકિસ્તાન સ્વાસ્થ્ય મંત્રીની હત્યાની વીકલ્પ ચિંતા, ઇમરાન ખાનના ડિફેન્સ લોબીના વિમાનમાં ઈડીએ જપ્તી કરી  
ઇમરાન ખાનના રક્ષણ સંબંધિત કાર્યવાહીમાં ભારતીય પ્રવાસિ સુવિધા કંપની દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે અમદાવાદ અને તેજપુરમાં શોધ લેવામાં આવી છે.  
ઇમરાન ખાનના ડિફેન્સ લોબીના વિમાનમાં ઇન્વેસ્ટમેન્ટ, વ્યાપાર અને આઇડીકાર્ડ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે.  
અમદાવાદ અને તેજપુર વિમાનમથકો પર શોધ લેવામાં આવી છે અને કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.  
મુંબઈ ખાતે ટૅક્સી ડ્રાઈવર દ્વારા ભારત આવતા પ્રવાસીઓને મદદ કરવાનું જાહેર કર્યું હતું.  
આ શોધ ફક્ત ઇમરાન ખાનના ડિફેન્સ લોબી સાથે જ સંબંધિત છે અને કોઈ પણ રીતે ઇમરાન ખાન સાથે સંબંધિત નથી.
Sports

પાકિસ્તાન સ્વાસ્થ્ય મંત્રીની હત્યાની વીકલ્પ ચિંતા, ઇમરાન ખાનના ડિફેન્સ લોબીના વિમાનમાં ઈડીએ જપ્તી કરી

ઇમરાન ખાનના રક્ષણ સંબંધિત કાર્યવાહીમાં ભારતીય પ્રવાસિ સુવિધા કંપની દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે અમદાવાદ અને તેજપુરમાં શોધ લેવામાં આવી છે.

ઇમરાન ખાનના ડિફેન્સ લોબીના વિમાનમાં ઇન્વેસ્ટમેન્ટ, વ્યાપાર અને આઇડીકાર્ડ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે.

અમદાવાદ અને તેજપુર વિમાનમથકો પર શોધ લેવામાં આવી છે અને કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

મુંબઈ ખાતે ટૅક્સી ડ્રાઈવર દ્વારા ભારત આવતા પ્રવાસીઓને મદદ કરવાનું જાહેર કર્યું હતું.

આ શોધ ફક્ત ઇમરાન ખાનના ડિફેન્સ લોબી સાથે જ સંબંધિત છે અને કોઈ પણ રીતે ઇમરાન ખાન સાથે સંબંધિત નથી.

વિરાટ કોહલીનાં One8 Commune પબ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે કેસ નોંધાયો: IPL ફાઈનલ મેચના એક દિવસ પહેલાં આવી મુશ્કેલી 2 કલાક…

2 Min Read
આઇપીએલ: બેંગલુરુએ જીત્યો ટોસ, હૈદરાબાદ કરશે બેટિંગ
Sports

આઇપીએલ: બેંગલુરુએ જીત્યો ટોસ, હૈદરાબાદ કરશે બેટિંગ

2025 માં, લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ થશે. આ મેચમાં, RCB…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?