22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ હજુ સુધી કંટ્રોલમાં આવી નથી. બીજી તરફ, મુસ્લિમ દેશ તુર્કીયેએ ભારત વિરુદ્ધ પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)એ તુર્કીયેને મોટો ઝટકો આપ્યો છે. JNUએ તુર્કીયેની ઈનોનુ યુનિવર્સિટી સાથેના MoUને આગામી આદેશ સુધી રદ્દ કરી દીધો છે. JNUએ આ પગલા પાછળ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો છે.
JNUએ ટ્વીટ કરીને આપી માહિતી
JNUએ ટ્વીટ કરીને તુર્કીયેની ઈનોનુ યુનિવર્સિટી સાથેના MoU રદ કરવાની માહિતી આપી છે. તેમણે લખ્યું, ‘દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, JNU અને તુર્કીયેની ઈનોનુ યુનિવર્સિટી વચ્ચેના MoUને આગામી આદેશ સુધી રદ્દ કરવામાં આવી રહ્યા છે.’ જેએનયુ પોતાના દેશ સાથે ખભે ખભા મિલાવીને ઉભું છે. આ સાથે, JNUએ #NationFirst હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
ભારતના લોકો તુર્કીયેને કરી રહ્યા છે બોયકોટ
ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. તુર્કીયેએ ભારતના આ પગલા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે પાકિસ્તાનને સમર્થન આપશે. ભારતના લોકો આનાથી ખૂબ ગુસ્સે છે. મોટાભાગના લોકોએ તુર્કીયેમાં પોતાના બુકિંગ તો રદ પણ કરી દીધા છે અને બોયકોટ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
ક્યારે કરાર કરવામાં આવ્યો હતો?
JNUની વેબસાઈટ અનુસાર આ કરાર 3 ફેબ્રુઆરી, 2025ના રોજ 3 વર્ષ માટે કરવામાં આવ્યો હતો. તે 3 ફેબ્રુઆરી 2028 સુધી ચાલુ રહેવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને JNUએ તેને સ્થગિત કરી દીધું છે. સરકારે ભારતમાં તુર્કીયે સમાચાર પ્રસારણકર્તા TRT વર્લ્ડના x-અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે JNUએ આ પગલું ભર્યું છે. ખરેખર, આ ચેનલ ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી રહી હતી. આ કારણે દેશમાં તુર્કીયેના ઉત્પાદનો અને સેવાઓ સામે વિરોધ વધી રહ્યો છે.