રાજા રઘુવંશીના મર્ડરના આરોપમાં ચારેય આરોપીઓએ આરોપ સ્વીકારી લીધો છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે તેમણે રાજા રઘુવંશીનું ખૂન કર્યું હતું અને મૃતદેહને ઊંડી ખીણમાંથી ફેંકી દીધો હતો.
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે આરોપનો સ્વીકાર કર્યાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી અને કાવતરાખોર તરીકે બતાવવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચ મુજબ, સૌથી પહેલા વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુરે રાજા પર હુમલો કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે ઈન્દોરથી ટ્રેન દ્વારા ગુવાહાટી ગયો અને ત્યાંથી શિલોંગ પહોંચ્યો. ઈન્દોરથી ડાયરેક્ટ ટ્રેન ન હોવાને કારણે તેને ઘણી ટ્રેન બદલવી પડી.
રાજા કુશવાહાએ આરોપીઓને 40-50 હજાર રૂપિયા આપ્યા
રાજા કુશવાહા આ સમય દરમિયાન ઈન્દોરમાં હતો, પરંતુ તેને વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યા સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીઓએ કહ્યું કે સોનમ પોતાના પતિ રાજાને મરતાં જોઈ રહી હતી. બાદમાં, આરોપીઓએ રાજાનો મૃતદેહ ઉંડી ખીણમાં ફેંકી દીધો.
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ એસીપી પૂનમ ચંદ યાદવે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે સોનમ ઈન્દોર પરત આવી છે કે નહીં, આ મામલે હાલમાં મેઘાલય પોલીસ પાસેથી જ પુષ્ટિ કરી શકાશે. તેમણે કહ્યું કે આ સંબંધમાં ઈન્દોર પોલીસ પાસે હાલમાં કોઈ તથ્ય મળ્યું નથી.
ગાઝીપુરથી સોનમને કસ્ટડીમાં લેવામાં આવી
સોનમ રઘુવંશીની સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી અટકાયત કરવામાં આવી હતી. તેને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેને મદદ માટે એક ઢાબાના માલિકનો સંપર્ક કર્યો. તેને દાવો કર્યો કે તેને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ તે બેભાન થઈ ગઈ અને તેને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી.
રાજા મેઘાલય હનીમૂન પર ગયા હતા
ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ સોનમ રઘુવંશી સાથે 12 દિવસ પહેલા લગ્ન કર્યા હતા. હત્યા પહેલા તે મેઘાલય હનીમૂન પર ગયા હતા. ત્યારબાદ તે 23 મેએ મેઘાલયના પૂર્વી ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો અને તેનું મૃત્યુ ત્યાં થયું હતું. 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ ઉંડી ખીણમાંથી મળી આવ્યો હતો.