ગઈકાલે એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટમાં કરાડી વાડીના 15 મુસાફરો હતા, જેમાં એક પરિવારના ચાર સભ્યો સામેલ હતા.
એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ગઈકાલે દુર્ઘટનાગ્રસ્ત થઈ. આ વિમાનમાં કરાડી વાડી, દિવના 15 મુસાફરો હતા. તેમાં ગિરિશ લાલજી, તેમના પત્ની હેમાક્ષી ગિરીશ, પુત્ર આદિવ અને પુત્રી તક્ષવી, એવા એક પરિવારના ચાર સભ્યો સમાવેશ હતો.
આ પરિવાર થોડા દિવસો પહેલા લંડનથી દિવ આવ્યો હતો. ગઈકાલે બપોરે તેઓ અમદાવાદથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બેઠા. વિમાનમાં બેસતા પહેલા હેમાક્ષીએ દિવના કરાડી પટેલવાડી વિસ્તારમાં રહેતા તેમના ફઈ કાન્તાબેનને ફોન કર્યો.
હેમાક્ષીએ ફઈને કહ્યું, "આદિવ અને તક્ષવી તોફાન કરે છે અને રડે છે." કાન્તાબેને તેમને બાળકોને સાચવવાની સલાહ આપી. આ છેલ્લી વાતચીત પછી થોડી જ વારમાં વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા.
આ દુર્ઘટનાના સમાચારથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કાન્તાબેન હેમાક્ષી સાથે થયેલી છેલ્લી વાતચીતને યાદ કરીને ભાવુક થઈ જાય છે.