વડિયા અને બાબરામા બે યુવાનોએ આપઘાત કરી લીધો
અમરેલી : અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અમરાપુર ગામે અભ્યાસ કરતા એક નર્સિંગ વિદ્યાર્થી અને દરજીકામ કરતા યુવાન યુવાને આપઘાત કરી જીવ કાઢ્યો.
વડિયા તાલુકાના અમરાપુર ગામે દરજી કામનો ધંધો બરાબર ન ચાલતાં આર્થિક સંકડામણના કારણે યુવાને આપઘાત કર્યો હતો.
બાબરા તાલુકાના કલોરાણા ગામે દરજી કામનો ધંધો ન ચાલતાં આર્થિક સંકડામણના કારણે યુવાને ગળાફાંસો આપી જીવ કાઢ્યો.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અમરાપુર ગામના એક નર્સિંગના વિદ્યાર્થીએ તેમજ જસદણના ગોખલાણા ગામના એક દરજીકામ કરતા યુવાને આથક મુશ્કેલીમાં આપઘાત કર્યો હતો.
વડિયા તાલુકાના અમરાપુર ગામે રહેતા રવી ગોબરભાઈ ચૌહાણ (૧૯) નામના યુવાન નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે કોલેજની ફી ભરવાના પૈસાની તંગી ના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, તેનું ગોબરભાઈ મંગાભાઈ ચૌહાણે વડીયા પોલીસમાં જાહેર કર્યુ હતું.
બીજી ઘટનામા જસદણ તાલુકાના ગોખલાણા ગામના રહીશ અને બાબરાના કલોરાણા ગામે દરજીકામ કરતા હિંમત ભીખાભાઈ બેરાણી (૨૨) નામના યુવાનને છેલ્લા બે વર્ષથી દરજી કામનો ધંધો ચાલતો ન હોવાના કારણે મુંજાઈ જઈ દુકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, તેનું મુકેશ ભીખાભાઈ બેરાણીએ બાબરા પોલીસમાં જાહેર કર્યુ હતું.