આમિરખાને ‘દિલ’ ફિલ્મના ગીત પર આપી માફી
બોલીવુડના અભિનેતા આમિરખાને ‘સિતારે જમીન પર’ ફિલ્મ ગીતની કેરીરના સાથે કમબેક કર્યું છે. આમિરખાને 2022 માં આવેલ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ ફલોપ થયા બાદ વિરામ લીધો હતો. એ સમયે એવું પણ કહેવાતું હતું કે આમિરખાને ફિલ્મોમાંથી સંન્યાસ લીધો છે. પરંતુ હાલમાં આમિરખાને 2007 ની સુપરહિટ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સિકવલ ફિલ્મ ‘સિતારે જમીન’ સાથે કમબેક કર્યું છે. દરમિયાન હાલમાં આમિરખાન વર્ષો પહેલા આવેલી તેની દિલ ફિલ્મના ગીતની ટીકા વચ્ચે આપી ખાને માફી આપી છે.
સંદીપનો આક્ષેપ યોગ્ય
આમિરખાને એક ઇન્ટરવ્યુમાં સંદીપ રેડી વાંગાના નિવેદન પર ખુલાસો કર્યો હતો. અભિનેતાએ કહ્યું કે ડાયરેકટર સંદીપ તેમની રીતે સાચા છે. તેમનો આક્ષેપ યોગ્ય છે કે મેં દિલ ફિલ્મના ‘ખંભે જૈસી ખડી હૈ’ આ ગીતમાં મહિલાઓનું અપમાન કર્યું છે. આ ગીતમાં મહિલાઓને વાંધાજનક બતાવવામાં આવી હોવાનું તેમનું નિવેદન સાચું છે. મહિલાઓના અપમાનને લઈને મારે માફી પણ માગવી જોઈએ. મેં આ ગીતમાં મહિલાઓની 25 વસ્તુઓ સાથે સરખામણી કરી હતી તે સારું નથી. જો કે આ બાબતે મેં મારા શો "સત્યમેવ જયતે" માં પણ આને લઈને વાત કરી હતી.
મને ઠીક લાગ્યું તે કર્યું
આ બાબતે અભિનેતાએ ખુલાસો આપતા કહ્યું કે "મેં તે કર્યું, અને તે સમયે મને લાગ્યું કે તે ઠીક છે. પરંતુ પછીથી મને સમજાયું કે તે ઠીક નથી." આમિર ખાને આગળ કહ્યું, "જો હું ભૂલ કરું છું, તો મને માફી માંગવામાં કોઈ સમસ્યા નથી. મને એમ પણ લાગે છે કે મારી કારકિર્દીની શરૂઆતમાં, મેં એવી વસ્તુઓ કરી છે જે ઠીક ન હતી.
શું હતો મામલો
જણાવી દઈએ કે એનિમલ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મની ટીકા કરી હતી. એ વખતે કિરણ રાવે કહ્યું હતું કે ફિલ્મમાં મહિલાઓને ખરાબ રીતે રજૂ કરવામાં આવી છે. ત્યારે કિરણ રાવની આ ટિપ્પણી પર સંદીપ રેડ્ડી વાંગાએ આમિર ખાનના ફિલ્મ દિલના ખંભે જૈસી ખડી હૈને લઈને નિવેદન આપ્યું હતું. સંદીપે કહ્યું કે આ ગીતમાં મહિલાઓને વાંધાજનક બનાવવામાં આવી છે. મહિલાઓના સન્માનને લઈને સંદીપ આમીરખાનની પત્ની વચ્ચે ટિપ્પણી યુદ્ધ ચાલ્યું હતું.