IPL 2025 ની સમાપિત બાદ ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે તૈયાર, ગૌતમ ગંભીર અને નવા કેપ્ટન શુભમન ગિલે શું કહ્યું?
IPL 2025: આઈપીએલ 2025 સમાપિત થયું છે અને હવે ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે તૈયાર છે. કેટલાક ખેલાડી પહેલાથી જ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે જ્યારે અન્ય ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. આ પ્રવાસની તમામ માહિતી શેર કરવા માટે ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોચ ગૌતમ ગંભીર પણ તેમની સાથે હાજર હતા.
બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન
બેંગલુરૂ દુર્ઘટના પર કોચ ગંભીરને પૂછવામાં આવ્યું કે તમે આ દુર્ઘટનાના જવાબદારને કઈ રીતે માનો છો? ગંભીરે કહ્યું કે, હું કોઈને જવાબદાર નક્કી કરવા વાળો નથી. પરંતુ જ્યારે હું ખેલાડી હતો ત્યારે પણ હું આવા રોડ શો પર ભરોસો નહોતો કરતો. કોચ તરીકે પણ હું તેના પક્ષમાં નથી. લોકોનું જીવન સૌથી જરૂરી છે. જો તમે ભીડ પર કંટ્રોલ ન કરી શકો તો પછી આવા રોડ શોની કોઈ જરૂર નથી.

હંમેશાથી માનું છું કે રોડ શો ન થવા જોઈએ. મારું દિલ તે પરિવારો માટે દુઃખી છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવી દીધા. જ્યારે 2007માં અમે જીત્યા હતા, ત્યારે પણ મારું એવું જ માનવું હતું. આવા આયોજનો બંધ દરવાજાની અંદર અથવા સ્ટેડિયમમાં થવા જોઈએ. ત્યાં જે કંઈ થયું તે ખૂબ જ દુઃખદ છે. આપણે એક ખેલાડી, ફ્રેન્ચાઈઝી અને ફેન તરીકે વધુ જવાબદાર હોવાની જરૂર છે. કારણ કે લોકોના જીવન સૌથી મહત્ત્વના છે.
ખેલાડીઓની પસંદગીના સવાલ પર કોચ ગંભીરે કહ્યું કે, ખેલાડીઓને એક અથવા બે મેચના આધાર પર નક્કી ન કરી શકીએ. કોચિંગ દરમિયાન હું હંમેશા પ્રેશરમાં રહું છું. જે સીરિઝ રમાઈ ચૂકી છે તેમાં પણ પ્રેશરમાં હતો. હજું પણ છું. દેશ માટે જીતવું સૌથી વધુ જરૂરી છે.
પ્લેઇંગ ઇલેવનના સવાલ પર કોચ ગંભીરે કહ્યું કે, તમામ કંડીશન જોઈને ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ. તે હિસાબથી સ્પિનર્સ અને ફાસ્ટ બોલર સામેલ કરાશે. ટેસ્ટ સીરિઝમાં બોલરોની ભૂમિકા ઘણી મહત્ત્વની હોય છે. અમારી સ્ક્વૉડમાં ઘણા સારા પ્લેયર્સ છે અને અમને આ સીરિઝમાં દબદબો બનાવવાની સંપૂર્ણ આશા છે.
શુભમન ગિલે શું કહ્યું?
કેપ્ટનશીપના સવાલ પર ગિલે કહ્યું કે, જેમ જેમ ખેલાડીઓ રમે છે તેમ તેમ શીખે છે. મારે ટીમ સાથે વાતચીત કરવી અને તેને સમજાવવા પડશે. આ આપણી મજબૂતી હશે. અમારી ટીમમાં બુમરાહ જેવા દિગ્ગજ બોલર છે. અમારા પેસ બોલરો ખૂબ સારા છે. અમારી બોલિંગ ખૂબ જ આક્રમક રહેશે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 ખેલાડીઓની ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, કે.એલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટ