બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં ફરી એકવાર અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેમના લગ્ન જીવનમાં બધું ઠીક ન હોવાના એંધાણ છે. પહેલા નુસરત જહાંએ હિન્દુ યુવક અને કલકત્તાના વેપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પાછળથી અણબનાવ થવાથી તેઓ અલગ થઈ ગયા. ત્યારબાદ નુસરત જહાંએ બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા.
બીજા લગ્નમાં પણ મુશ્કેલી
નુસરત જહાંના દ્વિતીય લગ્નમાં પણ મુશ્કેલી આવી છે. તેઓ અલગ થઈ જવાના છે. નુસરત જહાંના પતિ યશદાસ ગુપ્તાએ તેમને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધી છે. નુસરત અને યશના પાંચ વર્ષના લગ્ન જીવનનો અંત નજીક આવી રહ્યો છે. કારણ યશના જીવનમાં તેની પૂર્વ પ્રેમિકાનું આવવું. ભૂતપૂર્વ સંબંધ ફરી તાજા થવાથી યશ અને નુસરત એકબીજાથી અલગ થઈ રહ્યા છે.
નિખિલ જૈન સાથે છૂટાછેડા
નુસરત જહાંએ પહેલા નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન હિન્દુ-મુસ્લિમ રીતે થયા હતા. તેમના લગ્ન તુર્કીમાં થયા હતા અને ચર્ચાનો વિષય બન્યા હતા. લગ્ન પછી નુસરતે હિન્દુ નામ અને ધર્મ સ્વીકાર્યો હતો. મૌલવીઓએ આનો ખૂબ વિરોધ કર્યો હતો. વિરોધ છતાં પણ નુસરત તમામ હિન્દુ પૂજા-વિધિઓમાં ભાગ લેતી. પરંતુ પછી તેની ગર્ભવતી હોવાના સમાચાર સાથે તેણે નિખિલ સાથે છેડો ફાડ્યો હતો અને તેના બાળકનો પિતા યશ હોવાનું જણાવ્યું હતું.