હેરા ફેરી 3 માંથી પરેશ રાવલ બાહર | હેરા ફેરી ફિલ્મ સિરીઝના લોકપ્રિય અભિનેતા પરેશ રાવલે હેરા ફેરી 3 ફિલ્મમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર પરેશ રાવલે સાઇનિંગ રકમ પણ પરત કરી દીધી છે. ચાલો જાણીએ તમામ વિગતો.
પરેશ રાવલે પૈસા કેમ કર્યા પરત?
રિપોર્ટ્સ અનુસાર હેરા ફેરી 3 માટે પરેશ રાવલને 11 લાખ રૂપિયા મળ્યા હતા, જે તેમણે વાર્ષિક 15 ટકા વ્યાજ સાથે પરત કર્યા છે. આ ઉપરાંત તેમને વધારાના પૈસા આપવામાં આવ્યા હતા જેથી નિર્માતાઓને કોઈ તકલીફ ન થાય.
આ સાથે આગળ અહેવાલો અનુસાર પરેશ રાવલને ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જેમાંથી 11 લાખ રૂપિયા સાઇનિંગ અમાઉન્ટ તરીકે આપવામાં આવ્યા હતા. બાકીના 14 કરોડ 89 લાખ રૂપિયા ફિલ્મ રિલીઝ થયાના એક મહિના પછી મળવાના હતા. તેઓ આ નિયમો અને સ્થિતિઓથી સંતુષ્ટ ન હતા. તેથી, તેઓએ આ નિર્ણય લીધો. આ ફિલ્મ કોઈપણ પરિસ્થિતિમાં 2026 સુધી રજૂ થઈ શકશે નહીં.
ભૂલચૂક માફ મૂવી રિવ્યૂ। રંજન અને તિતલીના લગ્ન થશે કે નહિ? ફિલ્મ જોવી કે નહિ?
અક્ષય કુમારની કંપનીએ શું કર્યું?
અહેવાલો અનુસાર, અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’એ પરેશ રાવલ વિરુદ્ધમાં 25 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે. ફિલ્મમાંથી અચાનક નીકળી જવાથી નિર્માતાઓને મોટું નુકસાન થયું હોવાનું દાવાકારોએ જણાવ્યું છે.